ગુજરાત સરકાર તરફથી સને ર૦૦૬ ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે જેમાં અત્રેના આણંદ જીલ્લા ના નીચે પ્રમાણેના જોવાલાયક સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ છે.
· આણંદ જીલ્લામાં ખંભોળજ થી સારસા નજીક મહીસાગર નદીના કીનારે વેરાખાડી આવેલ છે જયાં માતાજીનું મંદિર, પૌરાણીક જોવાલાયક સ્થળો આવેલ છે તેમજ આ નદીકીનારે આવેલ આ જગ્યા પીકનીક સ્પોટ તરીકે પણ જોવાલાયક છે.
· આણંદ જીલ્લામાં અમુલ ડેરી જોવાલાયક છે.
· કરમસદ, તા.જી. આણંદ ખાતે આવેલ સરદાર સ્મારક તથા કરમસદ ગામમાં તેઓશ્રીનું પૌરાણીક જોવાલાયક ઘર પણ આવેલ છે.
· ઉમરેઠ પૌરાણીક વાવ જોવાલાયક છે.
· પેટલાદ ખાતે આવેલ વિનય મંદિર સ્કૂલ નજીક જુની વાવ જોવાલાયક છે.
· પેટલાદ તાલુકાના પીપળાવ ગામ ખાતે આવેલ માં આશાપુરી મંદિર પણ જોવાલાયક છે.
· બોચાસણ ખાતે આવેલ પ્રસિધ્ધ સ્વામીનારાયણ મંદિર પણ જોવાલાયક છે.
· કનેવાલ સરોવર જે ખંભાત તાલુકાના કનેવાલ ગામની નજીક રમણીય સ્થળ તરીકે જાણીતું છે તે પણ જોવા લાયક છે.
· ખંભાત ખાતે આવેલ ત્રણ દરવાજા, ઇદગાહ તેમજ ખંભાતના દરીયાકીનારે રાલજ ગામ નજીક આવેલ પ્રસિધ્ધ સીકોતર માતાજીનું મંદિર આવેલ છે.
|