પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

ટુરિઝમ પોલીસ

6/7/2025 5:02:16 PM

ગુજરાત સરકાર તરફથી સને ર૦૦૬ ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે જેમાં અત્રેના આણંદ જીલ્લા ના નીચે પ્રમાણેના જોવાલાયક સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ છે.

·         આણંદ જીલ્‍લામાં ખંભોળજ થી સારસા નજીક મહીસાગર નદીના કીનારે વેરાખાડી આવેલ છે જયાં  માતાજીનું મંદિર, પૌરાણીક જોવાલાયક સ્‍થળો આવેલ છે તેમજ આ નદીકીનારે આવેલ આ જગ્‍યા પીકનીક સ્‍પોટ તરીકે પણ જોવાલાયક છે.

·         આણંદ જીલ્‍લામાં અમુલ ડેરી જોવાલાયક છે.

·         કરમસદ, તા.જી. આણંદ ખાતે આવેલ સરદાર સ્‍મારક તથા કરમસદ ગામમાં તેઓશ્રીનું પૌરાણીક જોવાલાયક ઘર પણ આવેલ છે.   

·         ઉમરેઠ પૌરાણીક વાવ જોવાલાયક છે.

·         પેટલાદ ખાતે આવેલ વિનય મંદિર સ્‍કૂલ નજીક જુની વાવ જોવાલાયક છે.

·         પેટલાદ તાલુકાના પીપળાવ ગામ ખાતે આવેલ માં આશાપુરી મંદિર પણ જોવાલાયક છે.

·         બોચાસણ ખાતે આવેલ પ્રસિધ્‍ધ સ્‍વામીનારાયણ મંદિર પણ જોવાલાયક છે.

·         કનેવાલ સરોવર જે ખંભાત તાલુકાના કનેવાલ ગામની નજીક રમણીય સ્‍થળ તરીકે જાણીતું છે તે પણ જોવા લાયક છે.

·         ખંભાત ખાતે આવેલ ત્રણ દરવાજા, ઇદગાહ તેમજ ખંભાતના દરીયાકીનારે રાલજ ગામ નજીક આવેલ પ્રસિધ્‍ધ સીકોતર માતાજીનું મંદિર આવેલ છે.