પોલીસ અધિક્ષક, આણંદ |
http://www.spanand.gujarat.gov.in |
સાફલ્યગાથા |
6/7/2025 4:19:24 PM |
|
ક્રમ
|
તારીખ
|
સ્થળ
|
વિગત
|
૧
|
૧૫/૧૨/૧૪ થી
૨૧/૧૨/૧૪
|
આણંદ
|
’’ આણંદ પોલીસનો નવતર પ્રયોગ ભવાઇ મારફતે લોક જાગૃત્તિ ’’
સરકારશ્રી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અમલમાં મુકવામાં આવેલ હોય, આજના આધુનિક જમાનામાં પોલીસ અને પ્રજા બંન્ને એકબીજાના પુરક બની પ્રજાલક્ષી કામગીરી કરે તો એક સમૃધ્ધ અને સુરક્ષિત સમાજનું નિર્માણ થઇ શકે આણંદ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જનસંપર્ક, જનજાગૃત્તિ હિતાર્થે તેમજ પ્રજામાં જાગૃત્તિ લાવવા તથા બનતા ગુન્હા અટકાવવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફિક જાગૃત્તિ, મહિલા સુરક્ષા, બાળકોની સલામતિ, સમાજના સીનીયર સીટીઝન સુરક્ષા, બેન્ક એ.ટી.એમ., છેડતીના બનાવો,બાળકોના અપહરણના બનાવો, સાયબર ક્રાઇમ, આંતકવાદ, બોમ્બ વિસ્ફોટ, નોકરો દ્વારા થતી લુંટ, હત્યાથી સાવધાન, વાહન ચોરી અટકાવવા, ચેઇન સ્કેચીંગ, સ્કુલ-કોલેજ જતી વિદ્યાર્થીનીઓની સાવચેતી વિગેરે પ્રજામાં જાગૃત્તિ લાવવાના હેતુથી પોલીસ અધિક્ષક, આણંદની સુચના મુજબ લોકજાગૃત્તિ અંગે લોકડાયરો, નાટક, ભવાઇનુ આયોજન સુરક્ષા સેતુ હેઠળ કરવામાં આવેલ છે જે ગરવી ગુજરાત ભવાઇ કલા મંડળ દ્વારા આણંદ જીલ્લાના ગામડાઓમાં જનજાગૃત્તિ હિતાર્થે તેમજ પ્રજામાં જાગૃત્તિ લાવવા કાર્યક્રમ રાખવામાં આવેલ છે. !! યોર સેફ્ટી !! બુકમાં પ્રકાશિત જાગૃત્તિનો પણ ઉપયોગ ભવાઇ મારફતે વિતરણ કરવામાં આવશે.જેથી તમામ લોકો સુધી આણંદ પોલીસનો જાગૃત્તીનો સમાજમાં પહોંચી શકે તેમજ ભવાઇ હેતુ ખુબજ સારી રીતે લોકો સુધી સંદેશ પહોંચાડવાનો સાર્થક પહેલ છે. જેથી આજના જમાનામાં ભવાઇ લોકપ્રિય છે. તેને પણ સજીવ કરવા માટેનો પ્રયાસ આણંદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
|
|